મોટા વાગુદડ ગામ આશરે 700 વર્ષ જુનું ગામ છે. તે સમયે ધ્રોલનું નામ ધમલપુર હતું અને તેનો છેલ્લો રાજા ધમલ ચાવડા હતો. વાગુદડ ગામનું તોરણ ઝાલા કુટુંબના વડવાઓએ બાંધેલું. ઝાલા કુટુંબના વડવાઓ મુળ પાટડી બાજાણાના હતા. બારોટના કહેવા પ્રમાણે “ચામુંડા માતાજીએ સ્વપ્નમાં આજ્ઞા કરેલ કે તમે પાટડી છોડી અન્ય જગ્યાએ સ્થાયી થાવ, હું તમારી પહેલા ત્યાં પહોંચીશ. ત્યાં તમે મારી સ્થાપના કરજો.”
ચામુંડા માતાજીની આજ્ઞા મુજબ વાગુદડના ઝાલા કુટુંબના વડવાઓએ વાગુદડ ગામનું તોરણ બાંધ્યું અને ચામુંડા માતાજીના મઢની સ્થાપના કરી. હાલમાં વાગુદડના ઝાલાઓ છેલ્લા 700 વર્ષથી રહે છે. ઝાલાઓ આગમન બાદ થોડા વખત પછી રાઠોડ આવ્યા, ત્યાર પછી વાગુદડમાં સોલંકી, ચૌહાણ અને જાદવ આવ્યા.
વખત જતા વાગુદડના ઝાલા ભાયું માંથી થોડાક જાયવા ગામ અને થોરીયળી ગામમાં નોખા થયા. આમ, હાલમાં ધ્રોલ તાલુકામાં ઝાલાઓના ત્રણ ગામ છે. ત્રણ ગામના ઝાલાઓ “ખીમા ડાડા” ના વંશજો છે. તેઓ માતાજીના નૈવેધ કરવા દર વરસે આઠમા નોરતે મોટા વાગુદડ ભેગા થાય છે અને ભાયું ભાગ આપે છે.
ઝાલાઓના શુરાપુરા “અખે ડાડા” છે અને તેની ખાંભી મોટા વાગુદડના પાદરમાં જ છે. અખેડાડાની બાજુમાં તેમના સોલંકી મિત્રની ખાંભી છે.
મોટા વાગુદડના વોંકરાના કાંઠે ખીમા ડાડાની સમાધિની જગ્યા આવેલી છે જે ત્રણ ગામના ઝાલા ભાયું સંભાળે છે.
આમ, મોટા વાગુદડ ગામનાં સંત અને શુરા બન્ને ઝાલામાંથી થયેલ છે.
મોટા વાગુદડ ગામના ઝાલાઓ રીતરિવાજમાં સંસ્કારી, વર્તનના વિવેકી અને બોલીથી બુદ્ધિશાળી, વ્યવહારમાં શાંત પરંતુ નિડર, કાર્યમાં પ્રમાણિક, મહેનતું અને સાહસિક સ્વભાવવાળા હોય છે. મોટાભાગના ઝાલાઓના દિકરાઓ શિક્ષિત છે.
ચામુંડા માતાજીની આજ્ઞા મુજબ વાગુદડના ઝાલા કુટુંબના વડવાઓએ વાગુદડ ગામનું તોરણ બાંધ્યું અને ચામુંડા માતાજીના મઢની સ્થાપના કરી. હાલમાં વાગુદડના ઝાલાઓ છેલ્લા 700 વર્ષથી રહે છે. ઝાલાઓ આગમન બાદ થોડા વખત પછી રાઠોડ આવ્યા, ત્યાર પછી વાગુદડમાં સોલંકી, ચૌહાણ અને જાદવ આવ્યા.
વખત જતા વાગુદડના ઝાલા ભાયું માંથી થોડાક જાયવા ગામ અને થોરીયળી ગામમાં નોખા થયા. આમ, હાલમાં ધ્રોલ તાલુકામાં ઝાલાઓના ત્રણ ગામ છે. ત્રણ ગામના ઝાલાઓ “ખીમા ડાડા” ના વંશજો છે. તેઓ માતાજીના નૈવેધ કરવા દર વરસે આઠમા નોરતે મોટા વાગુદડ ભેગા થાય છે અને ભાયું ભાગ આપે છે.
ઝાલાઓના શુરાપુરા “અખે ડાડા” છે અને તેની ખાંભી મોટા વાગુદડના પાદરમાં જ છે. અખેડાડાની બાજુમાં તેમના સોલંકી મિત્રની ખાંભી છે.
મોટા વાગુદડના વોંકરાના કાંઠે ખીમા ડાડાની સમાધિની જગ્યા આવેલી છે જે ત્રણ ગામના ઝાલા ભાયું સંભાળે છે.
આમ, મોટા વાગુદડ ગામનાં સંત અને શુરા બન્ને ઝાલામાંથી થયેલ છે.
મોટા વાગુદડ ગામના ઝાલાઓ રીતરિવાજમાં સંસ્કારી, વર્તનના વિવેકી અને બોલીથી બુદ્ધિશાળી, વ્યવહારમાં શાંત પરંતુ નિડર, કાર્યમાં પ્રમાણિક, મહેનતું અને સાહસિક સ્વભાવવાળા હોય છે. મોટાભાગના ઝાલાઓના દિકરાઓ શિક્ષિત છે.